The violent clashes in Leicester were blamed on Modi's Bharatiya Janata Party

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, હિન્દુ કાઉન્સિલ યુકે, ઇનસાઇટ યુકે અને હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ (HCOG) લેસ્ટર સહિતના યુકેભરના હિન્દુ સંગઠનોએ 2022ના લેસ્ટરના કોમી તોફાનો અંગે SOAS યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા હાથ ધરવામાં આવેલી નવી તપાસની ટીકા કરી તેને “ત્રુટિપૂર્ણ” ગણાવ્યો છે અને પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ, પક્ષપાત અને ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

બેટર ટુગેધર નામનો આ અહેવાલ SOAS, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને મોનિટરિંગ ગ્રુપને સંડોવતા સ્વતંત્ર કમિશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેણે સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં ફાટી નીકળેલા હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચેના અથડામણોની તપાસ કરી હતી.

50,000થી વધુ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ (HCOG) લેસ્ટરે જણાવ્યું હતું કે મોટાભાગના હિન્દુ જૂથોએ તેની નિષ્પક્ષતા, ભંડોળ અને પેનલની રચના અંગે ચિંતાઓને કારણે તપાસનો બહિષ્કાર કર્યો હતો. રિપોર્ટમાં જ્યોર્જ સોરોસ દ્વારા સ્થાપિત ઓપન સોસાયટી ફાઉન્ડેશનના £620,000 ભંડોળ સમર્થનને સ્વીકારવામાં આવ્યું છે, જેનો HCOG દાવો કરે છે કે તે તટસ્થતા પર પ્રશ્નો ઉભા કરે છે.

માનવાધિકાર નિષ્ણાત જુઆન મેન્ડેઝની અધ્યક્ષતામાં, કમિશને તારણ કાઢ્યું હતું કે કોઈ એક સમુદાય ફક્ત જવાબદાર નથી પરંતુ તણાવ વધારવામાં “હિન્દુત્વ” વિચારધારાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેની ભલામણોમાં હિન્દુત્વને ઉગ્રવાદના સ્વરૂપ તરીકે ઓળખવા અને સાંપ્રદાયિક કથાઓ સામે મજબૂત કાર્યવાહી કરવાની હાકલ કરવાનો સમાવેશ થાય છે.

હિન્દુ જૂથો દલીલ કરે છે કે આ અહેવાલ હિન્દુ ઘરો અને મંદિરો પરના હુમલાઓને ઓછો આંકે છે અને હેનરી જેક્સન સોસાયટીના તારણો સાથે તીવ્ર વિરોધાભાસ ધરાવે છે, જે તેમના મતે અશાંતિનું અલગ અર્થઘટન રજૂ કરે છે.

હિન્દુ જૂથો કહે છે કે તેઓ અંતિમ નિષ્કર્ષ કાઢતા પહેલા સરકારના તારણોની રાહ જોશે.

LEAVE A REPLY