A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

પુરુષોનું સરેરાશ આયુષ્ય ઘટી 67.5 અને સ્ત્રીનું 69.8 વર્ષ થયું

લોકોના જીવનને તમામ સ્તરે અસર કરનારી કોરોના મહામારીએ દેશમાં લોકોના સરેરાશ આયુષ્યમાં બે વર્ષના ઘટાડો કર્યો છે. આ મહામારીથી પુરુષ અને મહિલા એમ બંનેના સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો છે, એમ મુંબઈ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકોએ કરેલા સ્ટેટેસ્ટિકલ એનાલિસિસમાં બહાર આવ્યું છે.

IIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર સૂર્યકાંત યાદવે કરેલો આ સ્ટડી રિપોર્ટ ‘BMC પબ્લિક’ જર્નલમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2019માં જન્મના સમયે ભારતીય પુરુષોનું આયુષ્ય 69.5 વર્ષ હતું, જે 2020માં ઘટીને 67.5 વર્ષ થયું છે. એ જ રીતે ભારતીય સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય 2019માં 72 હતું, જે હવે ઘટીને 69.8 વર્ષ થયું છે.

જન્મના સમયે આયુષ્યની ગણતરી નવજાત બાળક કેટલું જીવશે તે અંદાજિત સરેરાશ વર્ષની સંખ્યાને આધારે કરવામાં આવી છે. તેમાં નવજાત શિશુના જન્મના સમયે મૃત્યુદરની પેટર્ન ભવિષ્યમાં સ્થિર રહે તેવી ધારણા બાંધવામાં આવેલી છે. પ્રોફેસર યાદવે હાથ ધરેલા આ અભ્યાસમાં આયુષ્યના વર્ષમાં અસમાનતાના પરિબળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં બહાર આવ્યું છે કે કોવિડ-19થી 39થી 69 વર્ષના વયજૂથમાં આવેલા પુરુષના મહત્તમ મોત થયા છે. સામાન્ય વર્ષોની સરખામણીમાં કોરોના મહામારી દરમિયાન 2020માં 35થી 79ના વયજૂથમાં વધુ મોત થયા હતા. આ ગ્રૂપના સરેરાશ આયુષ્યમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં મૃત્યુદરની પેટર્ન પર કોરોના મહામારીથી આવેલા દબાણનો તાગ મેળવવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.આઇપીએસના ડિરેક્ટર ડો. કે એસ જેમ્સે જણાવ્યું હતું કે “કોઇ મહામારી આવે ત્યારે દર વખતે જન્મના સમયે સરેરાશ આયુષ્યમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે આફ્રિકાના દેશોમાં એચઆઇવી-એઇડ્સ રોગચાળ પછી સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો હતો. આ રોચગાળો અંકુશમાં આવ્યા બાદ સરેરાશ આયુષ્યમાં ફરી વધારો થયો હતો. ”

વિશ્વભરમાં કોવિડના કારણે સામાન્ય કરતાં વધુ મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, માર્ચ 2020 થી અત્યાર સુધીમાં સાડા ચાર લાખ મોત થયા છે. નિષ્ણાતો દ્વારા ભારતમાં રોગચાળાને કારણે વધુ લોકોના મોત થયા હોવાનો દાવો અનેક વખત કરવામાં આવ્યો છે.