Diamonds and jewelery belonging to a company owned by Nirav Modi will be auctioned
(ANI PHOTO)

ભારતના ભાગેડૂ નીરવ મોદીની આ સપ્તાહે નવી જામીન અરજીને ફગાવી દેતા લંડન હાઇકોર્ટના જજે તેમના ચુકાદામાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ‘ગુપ્ત અવરોધ’ હોવાની નોંધ કરી હતી.

ગુરુવારે રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની જામીન સુનાવણીમાં ન્યાયાધીશ માઈકલ ફોર્ડહામે તારણ કાઢ્યું હતું કે જો જામીન પર મુક્ત કરવામાં આવે તો 54 વર્ષીય ઉદ્યોગપતિ શરણાગતિ સ્વીકારવામાં નિષ્ફળ જશે અને તેમના ફરાર થવાનું જોખમ ઊંચું રહેશે તેવું માનવા માટે નોંધપાત્ર આધારો છે. એક ‘કાનૂની કારણ છે જે ‘ગુપ્ત કાર્યવાહી’ સાથે સંબંધિત છે. આ ગોપનીયતાના સ્વરૂપ અંગે અરજદાર (નીરવ મોદી) અને તેમના વકીલો અને હોમ ઓફિસને જાણકારી છે, પરંતુ મેં જે નોંધ્યું છે તે સિવાય CPS (ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ), ભારત સરકાર કે આ કોર્ટ દ્વારા કંઈ જાણીતું નથી.

ભારતીય સત્તાવાળાઓ વતી હાજર રહેલા CPS બેરિસ્ટર નિકોલસ હર્નએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હાલના ગુપ્ત અવરોધ અને તેની ગુપ્તતાની હકીકતનું સન્માન કરે છે.

નીરવ મોદી સંબંધિત કોર્ટ સુનાવણીમાં અગાઉ પણ ગુપ્ત અવરોધને ટાંકવામાં આવ્યાં હતા. આ ગુપ્ત અવરોધ નીરવ મોદીની શરણાર્થી તરીકેની અરજી હોવાની શક્યતા છે. જોકે આની કોઇ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી.
દરમિયાન માર્ચ 2019માં ધરપકડ થયા પછી નીરવ લંડનની જેલમાં બંધ છે અને તેને ઓછામાં ઓછા સાત અગાઉ જામીન પ્રયાસો કર્યા છે, જે બધા નકારી કાઢવામાં આવ્યા છે કારણ કે તેના પર ભાગી જવાનો ભય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments