વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા લુમ્બિનીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના શિલાન્યાસ પ્રસંગે હાજર રહ્યાં હતાા. આ સેન્ટરનું નિર્માણ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. (ANI Photo/Arindam Bagchi Twitter)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાતે લીધી હતી. મોદી ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંને નેતાઓએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

મોદીએ માયા દેવી મંદિરમાં પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી હતી. તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પૂજા પણ કરી હતી. આ પ્રવાસે આવેલા વડાપ્રધાન લુમ્બિની મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લીધો હતો. નેપાળના વડાપ્રધાન દેઉબાના આમંત્રણ પર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લુમ્બિનીની એક દિવસીય મુલાકાતે ગયા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીની નેપાળની આ પાંચમી યાત્રા છે.