અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાલોલ નજીક ચંદ્રપુર ગામે એક ફેક્ટરીની દિવાલ ધસી પડતાં ચાર બાળકોનાં મોત નિપજયા છે. એ ઉપરાંત ભારે વરસાદને લીધે જામનગરમાં એક વ્યક્તિનું મોત થયું છે. મહુવામાં પણ એક દીકરી સાતમા માળેથી પડી જતાં તેનું પણ મોત થયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાગપુર અને પુના વચ્ચે બુલઢાણા વિસ્તારમાં એક બસમાં આગ લાગી હતી અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં 25 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

પૂજ્ય મોરારીબાપુ દ્વારા ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે મૃત્યુ પામેલા બાળકો અને અન્ય લોકોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્રની બસ દુર્ઘટનામાં પણ જેમના મૃત્યુ થયા છે તેમને પણ 15000 રૂપિયા લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓમાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા કુલ રૂ. ચાર લાખ પાંસઠ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. આ રાશિ વિવિધ સ્થળોએ રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. બીજી તરફ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. એવા સંજોગોમાં પૂજ્ય બાપુએ ગુજરાતના રામકથાના શ્રોતાઓને કોઈ પણ સ્થળે કોઈપણ પ્રકારની સહાય પહોંચાડવા તત્પર રહેવા અને તૈયાર રહેવા અનુરોધ પણ કર્યો છે.

LEAVE A REPLY

eleven + 1 =