તસવીર સૌજન્યઃ નરહરી અમીન ફેસબુક પેજ

ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અમીને શનિવારે પોતાને કોરોના સંક્રમણ થયું હોવાની જાણ ટ્વીટર મારફત કરી હતી. થોડા દિવસથી કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવા મળતા હોવાથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તબીબોની સલાહ મુજબ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ તેમના પત્નીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને પણ યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સાંસદ નરહરિ અમીને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાને આઈસોલેટ કરે તેમજ ટેસ્ટ કરાવે તેવી નમ્ર અપીલ કરું છું.