) (Photo credit should read SUJIT JAISWAL/AFP via Getty Images)

નવાઝુદ્દીન સિદ્દિકી અત્યારે પોતાના દામ્પત્ય જીવન અંગે ચર્ચામાં છે. તેમની પત્ની આલિયા ઉર્ફે અંજલિ પાંડેએ ગયા વરસે તેને છૂટાછેડાની નોટીસ મોકલી હતી. પરંતુ હવે આલિયાનો વિચાર બદલાયો છે અને તેણે પતિને સાથે રહેવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે. મૂળ વાત એવી છે કે, આલિયાએ નવાઝુદ્દીન પર ગંભીર આરોપો મુકીને તલાકની અરજી કરી હતી. પરંતુ હવે સૂત્રોના જણાવ્યા મુજબ તલાક લેવાનો વિચાર અત્યારે પડતો મુક્યો છે અને પતિને એક વધુ તક આપવા ઇચ્છે છે.

આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ફરીથી નવાઝુદ્દીન સાથે રહેવા ઇચ્છું છું. હું છેલ્લા દસ દિવસથી કોરોના વાઇરસનો ભોગ બની હોવાથી મુંબઇના ઘરમાં આઇસોલેશનમાં રહું છું. આ સ્થિતિમાં મારા બે સંતાનો ૧૧ વર્ષની પુત્રી સોરા અને છ વરસના પુત્રની સંભાળ નવાઝ કરે છે. નવાઝ અત્યારે લખનૌમાં ફિલ્મનું શૂટિંગમાં કરતો હોવા છતાં બાળકોની દરેક બાબતોને સારી રીતે સંભાળે છે. બાળકોની દરેક જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. મારી તબિયત વિશે પણ વારંવાર પૂછે છે અને મારી જરૂરિયાતોને પણ પૂરી કરે છે. હું તેમનાથી પ્રભાવિત થઇ છું. નવાઝનો આ અંદાજ મને ખુશ અને સંતુષ્ટ કરી ગયો છે.

તેમની આ વર્તણૂક મારા દિલને સ્પર્ષી ગઇ છે. નવાઝ પહેલા બાળકો પર ધ્યાન આપતા જ નહોતા, પરંતુ હવે તેમનું બદલાયેલું સ્વરૂપ જોઇને મને આશ્ચર્ય થયું છે. મને લાગે છે કે મારે તેમને વધુ એક તક આપવી જોઇએ. આલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું અને નવાઝ સાથે મળીને અમારી વચ્ચે થયેલી ગેરસમજો દૂર કરવાના પ્રયાસો કરીશું. આ મુદ્દે પર અમારી વાતચીત ચાલુ પણ છે.