Getty Images)

લોકડાઉનમાં નુસરત ભરૂચા ઘરે જ સમય પસાર કરી રહી છે. ઘરે રહીને નુશરતે સાડી પહેરીને ફોટોઝ ક્લિક કર્યા હતા. આ ફોટોઝ નીચે કેપ્શનમાં તેણે પોતે લખેલ શેર પણ લખ્યો હતો. લખ્યું હતું કે, અબ અગર દુઆ મેં તેરા નામ ના લે પાઉં, કોશિશ કરુંગી.. સજદે મેં હી ના જાઉં.
નુસરત સોશિયલ મીડિયા પર તેણે લખેલ કવિતાઓ શેર કરતી રહે છે. 21 માર્ચે વર્લ્ડ પોએટ્રી ડે પર તેણે સોશિયલ મીડિયા પર તેની એક કવિતા શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેને કવિતા સાથે ઘણો લગાવ છે. ત્રણ વર્ષથી તે લખતી હતી પણ પોએટ્રી ડે પર તેણે લોકો સામે તેની આ કલા પ્રદર્શિત કરી.
નુસરત ઘરે તેનાં માતાપિતા અને દાદી સાથે સમય પસાર કરી રહી છે. તે તેની બિલાડીના ફોટોઝ પણ શેર કરતી રહી છે. તે ઘરકામમાં માતાની હેલ્પ કરાવવાથી લઈને દાદી સાથે સમય પસાર કરવો, એક્સરસાઇઝ કરવા વગેરેમાં તેનો સમય ફાળવે છે.