(PTI Photo)

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એક ઇલેક્ટ્રિક બસ બુધવાર સવારે ટ્રાફિક સિગ્નલ પરથી પસાર થતી વખતે અનેક વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતાં અને ચાર અન્ય ઘાયલ થયા હતાં.

બસ સવારે 10 વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ નજીક સિગ્નલ પર રોકાઈ ન હતી. તેને ઓછામાં ઓછા બે ફોર-વ્હીલર અને છ ટુ-વ્હીલર વાહનોને ટક્કર મારી હતી. બસે અનેક ટુ-વ્હીલર્સને ટક્કર મારતાં ચાર લોકોના મોત થયા હતાં, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.બસના ડ્રાઇવરની ઓળખ શિશુપાલસિંહ રાણા તરીકે થઈ હતી અને તેને પણ ઇજાઓ થઈ હતી.

આ અકસ્માતથી લોકોમાં રોષ ફેલાયો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી, પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.બસ આરએમસીની હતી પરંતુ તેનું સંચાલન એક ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી રહી હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક મૃતકના પરિવારજનોને ૧૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૨ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. મૃતકોની ઓળખ આરએમસી કર્મચારી રાજુ ગીડા (35), સંગીતા ચૌધરી (40), ચિન્મય ભટ્ટ (25) અને કિરણ કક્કર (56) તરીકે થઈ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments