મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તા. 8મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ 2023માં ભાગ લેવા માટે ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેનનું એક જૂથ ભારત જઇ રહ્યું છે. આ માટે તેની વેબસાઇટ પર સંસ્થા તરીકે નોંધણી કરાવાઇ છે અને મહત્તમ 50 વ્યક્તિઓનું ગૃપ ભારત જનાર છે.

જે લોકો ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેનના જૂથ દ્વારા જોડાશે તેમને IIW ના કોડથી ડિસ્કાઉન્ટ મળી શકશે. ભાગ લેનારા વ્યક્તિએ પોતાના રહેઠાણ અને મુસાફરીનો ખર્ચ પોતે ચૂકવવો પડશે. ભાગ લેનારા લોકો પહેલા કે પછીથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર, ઉજ્જૈન તેમજ ભારતના અન્ય શહેરોની યાત્રા કરી શકશે. વધુ માહિતી માટે સંપર્ક: રશ્મિ મિશ્રા  07440 635 51 ઇમેઇલ [email protected]

LEAVE A REPLY

5 × 3 =