રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર, 23 એપ્રિલે હનુમાન જયંતિના શુભ અવસર પર ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનની મુલાકાત લીધી હતી. વૈદિક મંત્રોચ્ચાર, સુગંધિત ફૂલોની પાંખડીઓ અને શંખનાથના પવિત્ર વાતાવરણ વચ્ચે પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીએ આશ્રમમાં રાષ્ટ્રપતિનું પરંપરાગત સ્વાગત કર્યું હતું.

પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીની સાથે રાષ્ટ્રપતિએ મા ગંગાના પવિત્ર કિનારે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. હનુમાન જયંતિ નિમિત્તે સાંજે પરમાર્થ નિકેતનના હનુમાન ઘાટ પર હનુમાનજીની પ્રાર્થના કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું હતું. પવિત્ર સમારોહમાં ગંગા પૂજા અને વિશ્વ શાંતિ માટેના પવિત્ર યજ્ઞની પૂર્ણાહુતિનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિએ દેવી લક્ષ્મીને પવિત્ર ફૂલની માળા અર્પણ કરી હતી અને બગીચામાં પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજી સાથે વિવિધ આધ્યાત્મિક અને સેવાલક્ષી પહેલો પર વિચારોની આપ-લે કરી હતી. આ પ્રસંગે પરમાર્થ નિકેતન અને દિવ્ય શક્તિ ફાઉન્ડેશનની અનેક સખાવતી અને માનવતાવાદી સેવા પહેલો વિશેની વિગતો મહામહિમ સાથે શેર કરવામાં આવી હતી.

સ્મરણના પ્રતીક તરીકે મહામહિમને પવિત્ર રુદ્રાક્ષનો છોડ, એક પરવિત્ર રુદ્રાક્ષ માળા અને હનિમાનજીના સુંદર મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી. ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્તિ) ગુરમિત સિંઘે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

 

LEAVE A REPLY

one × one =