સાંદિપનિ વિદ્યાનિકેતન પોરબંદરના પ.પૂ. રમેશભાઇ ઓઝાએ તાજેતરમાં જ મહારાણીનો વોલંટીયરીંગ સેવાઓ માટેનો પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ મેળવનાર ગુર્જર હિન્દુ યુનિયન (GHU), સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ક્રૉલીના અગ્રણીઓને આ સોનેરી સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

પૂ. ઓઝાએ પત્રમાં જણાવ્યું હતું કે ‘’ભગવાનની કૃપાથી ગુર્જર હિન્દુ યુનિયનને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોનો યુકેમાં પ્રેરણારૂપ દાખલો સ્થાપવા માટેનો ઉત્તમ એવોર્ડ મળ્યો તે બદલ આ સંસ્થાના સમર્પિત સ્વયંસેવકોને મારા આશીર્વાદ અને શુભકામનાઓ છે. વ્યાપક સમુદાયને કૌશલ્યની તાલીમ, સાંસ્કૃતિક અને મદદરૂપ સેવાઓ પ્રદાન કરવા માટે ભગવાન તમારા ઉમદા પ્રયાસોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે તેવા આશીર્વાદ સાથે પ્રાર્થના.’’