નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરી ખાતે સેન્ટ બર્નાન્ડેટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ લંડન HA3 9NS ખાતે પુરૂષોત્તમ માસમાં પૂ. રાજુભાઇ શાસ્ત્રીજીની કથાનું આયોજન તા. 22-7-23થી તા. 30-7-23 દરમિયાન રોજ બપોરે 2-30થી 6 દરમિયાન કરવામાં આવ્યું છે.

પ. પૂ. શ્રી ગોસ્વામી રસિકવલ્લભજી મહારાજ અને ગો. શ્રી શિશિર કુમાર મહોદયની નિશ્રામાં વિવિધ મનોરથો સાથેની શ્રી ભાગવદ સપ્તાહનું રસપાન વ્યાસપીઠ પરથી મથુરા નિવાસી પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી કરાવશે. આ પ્રસંગે સૌ ભક્તોને વિવિધ મનોરથમાં ભાગ લેવાનો તથા મહાપ્રસાદનો લાભ મળશે. આપ પણ જો વિવિધ મનોરથ કરાવવા માંગતા હો કે સ્પોન્સર થવા માંગતા હો તો 07985 594 364 ઉપર ગો. શ્રી શિશિર કુમાર મહોદયનો સંપર્ક કરવા વિનંતી.

પ્રસિધ્ધ ભાગવદ કથાકાર અને વેદાંત આચાર્ય પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી તા. 26ના રોજ લંડન પધારી રહ્યા છે.  વધુ માહિતી માટે સંપર્ક: પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી +44 7587 983 208 (UK)  +91 9410 444 962 (India).

LEAVE A REPLY

two × five =