(ANI Photo)
બોલીવૂડમાં રામાયણ આધારિત અનેક ફિલ્મો બની છે. હવે તે વિષય પર નવી ફિલ્મ આવી રહી છે. પ્રભાસ અને ક્રિતિ સેનનની ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલાં જ નીતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. તેમની આ ફિલ્મમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના રોલમાં આલિયા ભટ્ટને ફાઈનલ કરવામાં આવ્યા છે. રાવણના રોલ માટે કેજીએફ સ્ટાર યશ સાથે વાતચીત ચાલી રહી હતી અને યશે પણ તેના માટે તૈયારી બતાવી હોવાનું કહેવાતું હતું. જોકે, હવે સૂત્રોના જણાવ્યા મુજબ, નેગેટિવ રોલ કરીને યશ પોતાની ઈમેજ બગાડવા માગતો નથી. ફિલ્મના મેકર્સે અગાઉ રિતિક રોશનને રાવણ બનાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, વોરની સીક્વલમાં બિઝી હોવાનું કારણ રજૂ કરી રિતિકે આ પ્રોજેક્ટને ના પાડી હતી. બીજી બાજુ યશ પણ પોતાની ૧૯મી ફિલ્મમાં બિઝી છે. હાલ ફિલ્મનું નામ જાહેર કરાયું નથી. તેને યશ ૧૯ તરીકે ઓળખવામાં આવે છે. વિલનનો રોલ કરીને યશ ચાહકોને નારાજ કરવા માગતો નથી. યશની ૧૯મી ફિલ્મને કન્નડ ફિલ્મકાર નાર્થન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત યશના આગામી પ્રોજેક્ટમાં ગેંગસ્ટર ડ્રામાનો સમાવેશ થાય છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મમાં રાવણનો રોલ ફગાવીને યશે ફિલ્મમેકર્સની મુશ્કેલી વધારી છે. રણબીર કપૂરની સામે ઓનસ્ક્રિન ટક્કર આપે તેવા મોટા સ્ટારને લેવાની ફિલ્મમેકરની ઈચ્છા છે. અગાઉ યશની પસંદગી ફાઈનલ મનાતી હતી ત્યારે કંગના રણોતે ઈન્સ્ટાસ્ટોરીમાં પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, પીળા રંગના ડ્રગ એડિક્ટે ભગવાન રામનો રોલ કરવો જોઈએ નહીં. આગામી દિવસોમાં બોલિવૂડની નવી રામાયણ વિશે સાંભળવા મળે છે. જેમાં એક સફેદ ઉંદર અને તથાકથિત એક્ટર છે. તે વુમનાઈઝર અને ડ્રગ એડિક્ટ છે. ટ્રાયોલોજીમાં પોતાને શિવા બતાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. આ ફિલ્મને કોઈએ જોઈ ન હતી અને તેનો બીજો પાર્ટ પણ બનવાનો નથી. હવે તે પોતાને ફેન્સી રામ બનાવવાની તૈયારીમાં છે. જ્યારે યંગ સુપર સ્ટાર, જેને સેલ્ફમેઈડ કહેવાય છે. એક ફેમિલી મેન અને પારંપરિક છે. વાલ્મિકીજીએ વર્ણવેલા ભગવાન રામ જેવા તેના રૂપ-રંગ અને ફિચર છે, તે રાવણનો રોલ કરવાનો છે. કંગનાની આ પોસ્ટ પછી રામ અને રાવણનો રોલ કરનારા એક્ટર્સની પર્સનલ લાઈફ અંગે પણ ચર્ચાઓ ઊઠી હતી. જોકે, યશે રામાયણનો પ્રોજેક્ટ ફગાવી દેતાં હવે નવેસરથી લીડ એક્ટર શોધવાની જરૂરિયાત ઊભી થઈ છે.

LEAVE A REPLY

2 + fifteen =