Modi spoke to Sunak on phone: demanded action against anti-India elements
ફાઇલ તસવીર (ANI Photo)

ભારત-યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની નવી આશાઓ ઊભી થઈ છે. બંને દેશો આ મહિનાના અંતમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની ભારત મુલાકાતની શક્યતાઓ ચકાસી રહ્યાં છે. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ સુનકની ભારત મુલાકાત માટે 28 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.

સુનક G20 સમિટના દરમિયાન વડા પ્રધાન મોદીને મળ્યાં હતાં અને બાદમાં મોદીએ ફરી ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તે સમયે બંને નેતાઓએ FTA વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે મુદ્દાઓ વહેલી તકે ઉકેલી શકાય છે જેથી કરીને “સંતુલિત, પરસ્પર ફાયદાકારક અને મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થાય”.

સુનકને ભારત મુલાકાત માટે મોદીનું આમંત્રણ FTA અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર વધુ વિગતવાર ચર્ચા માટે હતું. જો સુનક 28 ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવશે તો તેઓ 29 ઓક્ટોબરે ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચ જોવા માટે લખનઉ પણ જાય તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે “હજી સુધી કંઈ ફાઈનલ થયું નથી. અમે મુલાકાત થાય તે પહેલાં FTA વાટાઘાટોમાં વધુ પ્રગતિની આશા રાખીએ છીએ. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે મુલાકાત FTA વાટાઘાટોની પૂર્ણતાને આધીન રહેશે નહીં. બંને પક્ષો વાટાઘાટોમાં ઉતાવળ કરવા માંગતા નથી, ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સૂચિત કરારના 26માંથી 24 પ્રકરણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. લોકોની અવરજવર અને અમુક વસ્તુઓ પર આયાત ડ્યુટી છૂટ જેવા બાકીના વિવાદાસ્પદ મુદ્દાઓ પર મતભેદોને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. જો મુલાકાત પહેલાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે તો પણ તે વાટાઘાટોને ઝડપી બનાવવામાં મદદ કરશે

ભારત અને યુકે બંને આગામી વર્ષે ચૂંટણી છે. તેથી બંને આગામી થોડા મહિનામાં આ ડીલને સીલ કરવા આતુર છે. એપ્રિલ 2022માં, બંને દેશોએ FTA સમાપ્ત કરવા માટે દિવાળીની સમયમર્યાદા નક્કી કરી હતી પરંતુ યુકેમાં કેટલાક મુદ્દાઓ તેમજ રાજકીય પરિવર્તનને કારણે ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાયું નથી.

LEAVE A REPLY

seven + seventeen =