istockphoto

અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની મંગળવાર, 6 ઓક્ટોબરથી મંજૂરી આપવામાં આવી છે. જોકે, રિવરફ્રંટ ખુલતાંવેંત જ વોક-વે પર વોકિંગ કરી રહેલ એક દંપત્તિને લૂંટી લેવાની ઘટના બની છે.

કોરોના વાયરસની મહામરી વચ્ચે લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા શહેરના રિવરફ્રંટ પર નીચે જવાની મંજૂરી આપવામાં આવતા સવારમાં લોકો સાઇકલિંગ અને વોકિંગ કરતા દેખાયા હતા.