કોરોના કોવિડ-19 વાયરસની મહામારીમાં ગુજરાત દિવસે દિવસે વધારે ફસાઇ રહ્યું છે. ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, આવા સંજોગોમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે કેન્દ્રિય ટીમને ગુજરાત મોકલવી જોઇએ તેવી કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને ટ્વીટ કરીને માગ કરી છે. પટેલે તેમના ટ્વીટમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આપણે કોવિડ-19નો વ્યાપ જે રાજ્યમાં વધુ છે, આવા રાજ્યની મુલાકાત લેવા માટે કેન્દ્રિય ટીમ જાય છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ બગડતી હોવાથી કેન્દ્ર સરકારની બે ટીમ મોકલવી જોઇએ.