ન્યુહામના ફોરેસ્ટ ગેટ સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર દ્વારા કાઉન્સિલર પુષ્પાબેન માક સાથે મળીને તા 7મી મે ના રોજ ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પિટલ ખાતેના એનએચએસ સ્ટાફને ખોરાક અને વિવિધ પ્રકારના ફળ પહોંચાડ્યા હતા.

હોસ્પિટલના  સ્ટાફે તેમનો આભાર માન્યો હતો. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે તેઓ મંદિરના બેન્ડ સાથે જોડાયા હતા અને મંદિરના કાર્યકરોએ એન.એચ.એસ. અને કેર વર્કર્સના સમર્થનમાં તેમની પ્રશંસા કરતા બેન્ડ વગાડ્યુ હતુ.

આ યાદગાર સત્ર દરમિયાન એનએચએસ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ નૃત્ય કરીને અને તાળીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો હતો. NHS સ્ટાફ અને કેર વર્કર સમુદાય માટે કોવિડનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોય છે. આવો નાનકડો સદભાવ કેવી રીતે વર્તમાન પરિસ્થિતીમાં લોકોને આનંદ આપે છે તે પૂરવાર થયુ હતુ.