જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સોમવારે સાંજે ત્રાસવાદીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. આ વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાતા ત્રાસવાદીઓએ પોલીસ બસ પર ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આ ઘટનામાં 12 જવાનો ઘાયલ થયા હોવા સૂત્રો જણાવે છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડથી ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ત્રાસવાદીઓએ તેમની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.