(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે હજુ કોઇ સીબીઆઇ હજુ કોઇ તારણ પર આવી નથી અને તમામ પાસાંની તપાસ કરી રહી છે, એમ તપાસકર્તા એજન્સીએ સોમવારે જણાવ્યું હતું.

સીબીઆઇના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત પ્રોફેશનલ તપાસચાલુ છે અને તમામ પાસાંની તપાસ થઈ રહી છે અને કોઇ પાસાંનો હજુ ઇનકાર કરી શકાય નહીં. 34 વર્ષીય સુશાંત સિંહનું 14 જૂને મુંબઈમાં બાંદ્રા ખાતેના તેના નિવાસસ્થાને રહસ્યમ મોત થયું હતું.

બિહાર પોલીસ પાસેથી આ તપાસ સીબીઆઇ પાસે આવી છે. ગયા સપ્તાહે સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહે સીબીઆઇની તપાસની ધીમી ગતિ અંગે લાચારી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સીબીઆઇ તપાસની ગતિ અચાનક ધીમી પડે છે અને હવે હવે લોકોનું ધ્યાન ડ્રગ સંબંધિત મુદ્દા તરફ વાળવામાં આવી રહ્યું છે.