(ANI Photo)

ટીવી સ્ટાર જય ભાનુશાલીનું માને છે કે ડિજિટલ પ્લેટફોર્મની સરખામણીએ ટેલિવિઝન હંમેશાં લોકપ્રિય રહેશે. આજે ડિજિટલ પ્લેટફોર્મનું ચલણ છે. અનેક ફિલ્મો અને વેબ-સિરીઝ વિવિધ પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. એથી કેટલાક લોકો એમ માને છે કે ટેલિવિઝનનું મહત્ત્વ ઓછું થઈ જશે.

આ અંગે જય ભાનુશાલીએ કહ્યું કે, ‘ડિજિટલ પ્લેટફોર્મની સરખામણીએ કેટલાક લોકો માટે ટેલિવિઝન સરળ છે. એક બટન ક્લિક કરતાં જ શો શરૂ થઈ જાય છે. ટેલિવિઝન તો હંમેશાં રહેવાનાં છે.​ ફિલ્મ એકટર્સ શું કામ તેમની ફિલ્મોને ટીવી પર પ્રમોટ કરે છે? કારણ કે એને જોનારો વર્ગ વિશાળ છે. લોકો આજે પણ ટીવી જુએ છે. વાત એ છે કે કેટલાક લોકોને ટીવી જોવાનું ગમતું નથી, કારણ કે હવે દર્શકો સ્ટોરીઝને સમજતા થયા છે. આજે કેટલીક મમ્મીઓ હજી પણ ટીવી જુએ છે. મારી મમ્મીને નેટ​ફ્લિક્સ કે પછી અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં નથી ફાવતું. જોકે ટેલિવિઝનનું એક બટન દબાવતાં જ શો શરૂ થઈ જાય છે, આથી જ ટેલિવિઝન હંમેશાં લોકપ્રિય રહેવાનું છે.’

LEAVE A REPLY

eighteen − eight =