Parliament House in New Delhi, India

તાજેતરની ચૂંટણીઓમાં રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટાયેલા ભાજપના 12 સાંસદોમાંથી 10 સાંસદોએ બુધવારે સંસદમાંથી રાજીનામું આપ્યું હતું અને અન્ય બે પણ રાજીનામું આપશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંસદ તરીકે રાજીનામું આપનારા ભાજપના નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા સાંસદો અને રાજ્યસભાના એક સભ્યનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય બે સાંસદો કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ અને મહંત બાલકનાથ પણ લોકસભામાંથી રાજીનામું આપશે. રાજીનામું આપનારા અન્ય સાંસદોમાં દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાકેશ સિંહનો પણ સમાવેશ થાય છે. આ પગલું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીઓની પસંદગી કરવાની પાર્ટી નેતૃત્વની કવાયતનો  એક ભાગ છે.

 

LEAVE A REPLY

eight + fourteen =