પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. વૃક્ષ પર જુવાનજોધ દિકરાની લાશ લટકતી જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોળાઆંબા ગામમાં ઘોટાળ પરિવારના મોભી પોતાની પત્ની અને પુત્ર યોગેશ સાથે રહીને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘોટાળ પરિવારના 3 સભ્યોએ એક જ ઝાડ પર ગળે ફાંસો ખાઈને સામુહિક આપઘાત કરી લેતા ગામ લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા.