Shri Krishna Janamashtmi
મથુરામાં જન્માષ્ટમીના પ્રસંગે ક્રિષ્ન જન્મસ્થાન મંદિરમાં લાખ્ખો ભક્તો ઉમટી પડ્યા હતા.(ANI Photo)

કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન બાંકે બિહારી મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થતાં બે ભાવિકોના મોત થયા હતા અને સાતથી વધુ કચડાઇ ગયા હતા. આ ઘટના શનિવારની વહેલી સવારે બની હતી. મંગલા આરતી દરમિયાન આ ઘટના બની હતી. નોઇડાની ૫૫ વર્ષીય મહિલા નિર્મલા દેવી અને જબલપુરનો ૬૫ વર્ષનો ભક્ત રામ પ્રસાદનું આ ઘટનામાં મોત થયું હતું. અચાનક જ ભાવિકોનો ધસારો થતાં સ્થિતિ વણસી હતી અને તેના કારણે આ ઘટના બની હતી. અનેક ભાવિકો બેભાન થઇ ગયા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને જરૂરી તમામ સહાય આપવાનો આદેશ કર્યો હતો.