Rahul Gandhi did not get relief in the defamation case
(ANI Photo)

મોદી  સરકાર પર હુમલો કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે દાવો કર્યો હતો કે સરકારી કંપનીઓમાંથી આશરે બે લાખ નોકરીઓ ખતમ કરવામાં આવી છે અને કેટલાંક મૂડીવાદી મિત્રોના લાભ માટે સરકાર દ્વારા લાખ્ખો યુવાનોની આશાને કચડી નાંખવામાં આવી રહી છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રના સાહસો (પીએસયુ)  ભારતનું ગૌરવ અને રોજગાર માટે દરેક યુવાનોનું સ્વપ્ન હતું, પરંતુ આજે પીએસયુ સરકારની પ્રાથમિકતા નથી. દેશના PSUsમાં નોકરીની સંખ્યા 2014માં 16.9 લાખ હતી, જે 2022માં ઘટીને માત્ર 14.6 લાખ થઈ છે. BSNLમાં 1,81,127, સેઇલમાંમાં 61,928; એમટીએનએલમાં 34,997, SECLમાં 29,140, FCIમાં 28,063 અને ONGCમાં 21,120 નોકરીનો નાબૂદ કરાઈ છે.

સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાના ખોટા વચનો આપનારા લોકોએ નોકરીઓ વધારવાને બદલે બે લાખથી વધુ નોકરીઓને નાબૂદ કરી દીધી હતી. આ ઉપરાંત આ સરકારી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ ભરતી લગભગ બમણી થઈ ગઈ છે. શું કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં વધારો  અનામતનો બંધારણીય અધિકાર છીનવી લેવાનો માર્ગ નથી? શું આ કંપનીઓનું ખાનગીકરણ કરવાનું કાવતરું છે? ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી અને PSUમાંથી સરકારી નોકરીઓ નાબૂદ! આ કેવો ‘અમૃત કાલ’ છે. જો આ ખરેખર ‘અમૃત કાલ’ છે તો નોકરીઓ આ રીતે કેમ ગાયબ થઈ રહી છે.

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે આ સરકાર હેઠળ દેશ રેકોર્ડ બેરોજગારી સાથે ઝઝૂમી રહ્યો છે કારણ કે કેટલાક મૂડીવાદી મિત્રોના ફાયદા માટે લાખો યુવાનોની આશાઓને કચડી નાખવામાં આવી રહી છે. જો ભારતના PSUsને સરકાર તરફથી યોગ્ય વાતાવરણ અને સમર્થન મળે તો તેઓ અર્થતંત્ર અને રોજગાર બંનેને વેગ આપવા સક્ષમ છે. PSUs  દેશ અને લોકોની સંપત્તિ છે, તેમને પ્રોત્સાહન આપવું પડશે, જેથી તેઓ ભારતની પ્રગતિના માર્ગને મજબૂત કરી શકે.

LEAVE A REPLY

fourteen + two =