જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ચીન-પાકિસ્તાનને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક વખત ફરી નિષ્ફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ચીન-પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર સમર્થન મેળવવામાં અસફળ રહ્યાં છે. ભારતે કહ્યું કે અમારી સાથે સંબંધ સારા કરવા માટે પાકિસ્તાન માટે એ જરૂરી છે કે તે યોગ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે. UNSCના ઘણા સભ્યોએ કહ્યું કે કાશ્મીર, ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ કારણે તે વાતચીતથી હલ થવો જોઈએ. બુધવારે ચીનના દબાણમાં કાશ્મીર પર UNSCની બેઠક બોલાવવામાં આવી હતી. આ ક્લોઝ્ડ ડોર મીટિંગમાં સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો સિવાય કોઈને પણ સામેલ કરવામાં આવશે નહિ. યુએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું આપણે એક વાર ફરી જોયું કે એક સભ્ય દેશની કોશિશની હાર થઈ. એ આપણા માટે ખુશીની વાત છે કે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કાશ્મીરમાં ખતરાની સ્થિતિને નકારમાં આવી. પાકિસ્તાન કાશ્મીરને લઈને સતત અધારહીન આરોપ લગાવતું રહ્યું છે. ઘણાં દેશોનું કહેવું છે કે કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય રીતે હલ કરવો જોઈએ.