હાલ સુરતમાં રહેતા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા છે.

બે અઢી મહિના સુધીના વિચારણ દરમ્યાન હાલમાં તેઓ તા. 24થી 1 ઓક્ટોબર સુધી સ્ટેનમોર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ- સંસ્કાર પોષણના કાર્યક્રમો કરી રહ્યા છે. હાલના સમયે બાળકો  તથા યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર તથા સત્સંગના સંસ્કારોની ખૂબ જ જરૂર છે ત્યારે સંતો દ્વારા યુકેના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મંદિરો તથા સત્સંગીઓના ઘરે જઈ સત્સંગ તથા સનાતન સંસ્કૃતિના પોષણનું કામ કરવાનું આયોજન કરાઇ રહ્યું છે. સંતો તથા સત્સંગનો લાભ લેવા માટે સંપર્ક: +44 7448 144 196 અને  +91 91686 81601.

LEAVE A REPLY

2 + 19 =