(Photo by Stu Forster/Getty Images)

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાં ટી-20 માટે સુકાનીપદ છોડી દેવાની જાહેરાત કરી છે. કોહલીએ સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ દ્વારા જાહેરાત કરી હતી કે, ઓક્ટોબરમાં યુએઈમાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો રહ્યો છે તે કેપ્ટન તરીકે મારો આખરી વર્લ્ડ કપ હશે. હું ટી-20માંથી કેપ્ટન તરીકે રાજીનામું આપું છું પણ એક બેટ્સમેન તરીકે ટી-20માં ટીમ ઈન્ડિયા તરફથી રમતો રહીશ.

એ જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં જ, આઈપીએલનો બીજો તબક્કો શરૂ થતાં પહેલા કોહલીએ આ સ્પર્ધામાં પણ પોતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાનીપદેથી આ વર્ષના અંતે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમાં પણ કોહલીએ એવું કહ્યું હતું કે તે આરસીબી વતી જ રમતો રહેશે, પણ સુકાનીપદની જવાબદારી નહીં સંભાળે.