પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડાયરેક્ટેરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ગુરુવાર, 19 માર્ચે ભારતની એરલાઇન્સ કંપનીઓને નવ દેશોને એરસ્પેસ ટાળવા તથા મજબૂત કન્ટિજેન્સી પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી. સરકારની એડવાઇઝરી તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને 28 માર્ચ સુધી માન્ય રહેશે, જોકે પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે.
DGCAએ એક એડવાઇઝરીમાં એરલાઇન્સને બહેરિયન, ઇરાન, ઇરાક, જોર્ડન, લેબોનન, કતાર અને યુનાઇટેડ આરબ અમિરાતની એરસ્પેસ ટાળવાની સલાહ આપી હતી. નિયામકે જણાવ્યું કે ભારતીય એરલાઇન્સ ઓમન અને સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં નિશ્ચિત શરતો સાથે ફ્લાઇટ ચલાવી શકે છે, પરંતુ સાઉદી અરેબિયા અને ઓમાનના ચોક્કસ ક્ષેત્રોમાં 32,000 ફૂટ (FL 320)થી નીચે ઉડાન ભરી શકાશે નહીં.
DGCAએ જણાવ્યું કે આ નવ દેશોના હવાઈ ક્ષેત્રમાં તમામ ઊંચાઈ અને સ્તરે ઉડાનથી દૂર રહેવું જોઈએ. જો કોઈ એરલાઇન કામગીરી ચાલુ રાખે તો તે સંપૂર્ણપણે તેના પોતાના સલામતી જોખમ મૂલ્યાંકન પર આધારિત રહેશે. આ ઉપરાંત સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર ફ્લાઇટ ચલાવતી વખતે અન્ય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ જ્યાં કામગીરી કરી રહી છે, ત્યાં તમામ સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મજબૂત કન્ટિજેન્સી પ્લાન તૈયાર રાખવો ફરજિયાત છે.














