Airplane interior sideview

ભારતમાં હવે મુસાફરોએ વિમાનમાં મનગમતી સીટ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. સરકારે તમામ એરલાઇન્સને ડોમેસ્ટિક ફ્લાઇટમાં 60 ટકા બેઠકો માટે મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ ન વસૂલવાની સૂચના આપી છે. આ ઉપરાંત એક જ PNR પર મુસાફરી કરનારા મુસાફરોને ફ્લાઇટમાં બાજુ-બાજુમાં સીટ મળશે.

બુધવારે આ પગલાંની જાહેરાત કરતા કેન્દ્રીય નાગરિક મંત્રાલયે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સને ખાતરી કરવા કહ્યું છે કે કોઈપણ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો મફતમાં ફાળવવામાં આવે જેથી વાજબી પ્રવેશ સુનિશ્ચિત થાય.આ નિયમો ડોમેસ્ટિક ફ્લાઇટ્સને લાગુ પડશે.

એરલાઇનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં 20 ટકા સીટો મફતમાં બુક કરાવી શકાય છે જ્યારે બાકીની સીટો માટે વધારાનો ચાર્જ ચૂકવવામાં આવે છે.

/* */

કંપનીઓ સીટની પસંદગી સહિતની સુવિધા માટે ઊંચા ચાર્જ વસૂલ કરતી હોવાની ફરિયાદો વચ્ચે સરકારે આ નિયમ બનાવ્યો છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ૬૦ ટકા બેઠકો મફત, પરિવારો માટે એકસાથે બેસવાની ખાતરી તથા રમતગમતના સાધનો, સંગીતનાં સાધનો અને પાલતુ પ્રાણીઓના પરિવહન માટે સ્પષ્ટ, પારદર્શક ધોરણો.