પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશની મોટા ભાગની હની બ્રાન્ડમાં ભેળસેળ કરવામાં આવે તેવો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટે તેના અહેવાલમાં દાવો કર્યા બાદ ભારતની બે અગ્રણી ફાર્મસી ડાબર અને મેરિકો વચ્ચે પોતપોતાના મધની ગુણવત્તા અંગે ખેંચતાણ ચાલી રહી હતી.

એડર્વટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ASCI)ને છેલ્લા થોડા સમયમાં ચાર પાંચ ફરિયાદો મળી હતી જેમાં હરીફ કંપનીના મધને બનાવટી ગણાવતા દાવા થયા હતા. ASCIએ કોઇ કંપનીનું નામ લીધા વિના કહ્યું હતું કે અમને આવી ફરિયાદો મળી છે.

ડાબરે એવો આક્ષેપ કર્યો હતો કે હરીફ કંપની મૈરિકો સફોલા મધ અંગે ખોટા દાવા કરતી જાહેરખબરો આપી રહી હતી. ડાબરના કહેવા મુજબ સફોલા મધ ન્યૂક્લીઅર મેગ્નેટિક રેઝોનન્સ (NMR)ની ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યું હતું. આ ટેસ્ટમાં મધમાં ખાંડ કેટલી છે એની ચકાસણી થતી હોય છે. આ દલીલ આગળ કરીને ડાબરે ASCI સમક્ષ ફરિયાદ કરી હતી કે મેરિકો કંપની ખોટા દાવા કરતી જાહેર ખબર પ્રકાશિત કરાવી રહી હતી. તેને અટકાવવી જોઇએ.

સામા પક્ષે મેરિકોએ એવો દાવો કર્યો હતો કે અમારું મધ તમામ ભારતીય ખાદ્ય ગુણવત્તા પરીક્ષણોમાં અસવી સાબિત થયું હતું. ડાબર જર્મન ન્યૂક્લીઅર મેગ્નેટિક રેઝોનન્સના ટેસ્ટમાં બનાવટી સાબિત થયું હતું. અમારી સામેના ડાબરના આક્ષેપ વ્યાવસાયિક અદેખાઇથી વિશેષ કશું નથી. વાસ્તવમાં ડાબરનું મધ સો ટકા શુદ્ધ હોવાનું પુરવાર થયું નથી. અગાઉ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટે દાવો કર્યો હતો કે ભારતની મોટા ભાગની મધની બ્રાન્ડમાં અસલી મધ હોતું નથી.