બોલિવૂડની અભિનેત્રી કંગના રનોટને કેન્દ્રીય સુરક્ષા એજન્સીએ વાય પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નશીલા પદાર્થના ઉપયોગ અંગેના કંગનાના નિવેદન બાદ આ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને પગલે કંગનાએ આ નિવેદન આપ્યું હતું અને તેનાથી વિવાદ ઊભો થયો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે મંત્રાલયે અર્ધલશ્કરી દળના મારફત કંગનાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. વાય પ્લસ કેટેગરી હેઠળ 10 સશસ્ત્ર કમાન્ડોની સુરક્ષા આપવામાં આવે છે.