ઇમરજન્સી કોરોનાવાયરસ કાયદો મહિનાના અંત પહેલા અમલી બનશે (Photo by Hector RETAMAL / AFP) (Photo by HECTOR RETAMAL/AFP via Getty Images)

કોરોનાવાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકારને સત્તા આપવા માટે રચાયેલ ઇમરજન્સી કાયદાની વિગતો સરકારે જાહેર કરી છે. સરકારને મળેલી સત્તા અસ્થાયી રહેશે જે બે વર્ષ સુધી મર્યાદિત રહેશે. સરકારે કહ્યું છે કે જ્યારે અને જ્યાં જરૂર પડશે ત્યારે જ તેનો ઉપયોગ કરશે. ગુરૂવારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે અને સરકારને આશા છે કે મહિનાના અંત સુધીમાં તે કાયદો બની જશે.

આરોગ્ય સેવા:  લોકોને વધુ રોજગાર સલામતી આપવી જેથી તેઓ તેમની મુખ્ય નોકરી ગુમાવ્યા વિના હેલ્થ અને સોશ્યલ કેર ક્ષેત્રે સહાય આપવા ચાર અઠવાડિયા સુધી સ્વયંસેવક બની શકશે. તેઓ ગુમાવેલી કમાણી અને ખર્ચ બદલ ફ્લેટ રેટ વળતર મેળવશે.

નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ નામ નોંધાવી શકશે અને તેઓ કામ પર પાછા ફરશે તો તેમના પેન્શન પર નકારાત્મક અસર નહીં પડે. તાલીમના અંતની નજીક હોય તેવા વિદ્યાર્થીઓ પણ નોંધણી કરાવી શકે છે.

NHSના કર્મચારીઓને રાજ્યના ટેકાવાળી વીમા યોજના દ્વારા આવરી લેવાશે, જેથી તેઓ ફરજની બહાર જઇને દર્દીઓની સંભાળ રાખી શકે. વધુ બીમાર લોકોને સારવાર મળી શકે તે માટે હોસ્પિટલના બેડ ખાલી કરાવવા ડોકટરો દર્દીઓને ડીસ્ચાર્જ કરવા માટેના પેપરવર્ક અને એડમીન વર્કનો ઘટાડો કરાશે.

પોલીસ અને ઇમિગ્રેશન: પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓને લોકોની અટકાયત કરવાની અને જાહેર આરોગ્યને બચાવવા માટે જરૂરી જણાય ત્યારે તેવા લોકોને યોગ્ય આઇસોલેશનમાં મુકવાની સત્તા અપાશે. અપૂરતા સંસાધનો હશે તો હવાઇમથકો અથવા પરિવહન કેન્દ્રો કામચલાઉ સ્થગિત કરાશે.

શાળાઓ: શાળાઓ અને ચાઇલ્ડ કેર પ્રોવાઇડર આવશ્યકતા મુજબ શિક્ષકનો ગુણોત્તર ઘટાડી શકશે અને શૈક્ષણિક સંસ્થાઓ અથવા નર્સરી બંધ કરાવી શકશે.

બિઝનેસીસ: જાતે અલગ થનારા લોકોને સ્ટેટ્યુટરી સીક પે આપી શકાશે. નાના બિઝનેસીસ સ્ટેટ્યુટરી સીક પેનો દાવો મંજૂર કરી શકાશો.

જાહેર મેળાવડાસરકાર કોઈપણ સ્થળે ઇવેન્ટ્સ અને મેળાવડા પર પ્રતિબંધ લગાવી શકશે.

મૃત્યુ: પરિવાર વતી ફ્યુનરલ ડાયરેક્ટર્સ અને અન્ય આગ્રણી વ્યક્તિઓ મૃત્યુની નોંધણી કરાવી શકે તે માટે સૂચિનો વિસ્તાર કરાશે. તે માટે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ દસ્તાવેજોને પણ પૂરાવા તરીકે રજૂ કરી શકાશે. કોરોનર્સને સૂચિત કરવાની આવશ્યકતાઓમાં રાહત અપાશે. આ કાયદો સ્થાનિક અધિકારીઓને ક્રિમેટોરીયમના સંચાલનનો સમય વધારવાની સત્તા આપશે. કંપનીઓ તેમના વાહનોનો ઉપયોગ મૃતદેહ ખસેડવા માટે કરી શકશે અથવા ફ્યુનરલ સેક્ટર સિવાયના લોકોની સહાય લઇ શકશે.