ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમયે શરૂ થતાં ખેડૂતોએ ખરીફ વાવેતર પણ સારું કર્યું છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડતા મગફળીના પાકમાં ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ છે. આ ચોમાસા દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે અને આ બધા વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધુ થાય છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશને રાજ્ય સરકારને પત્ર લખી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના દર્શાવી છે. એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે કે, ધોવાણ થયેલા વિસ્તારોમાં મગફળીનું ઉત્પાદન ઓછું થઈ શકે છે. દિવાળી પછી શિયાળુ પાકનું વાવેતર પણ થઈ શકે છે. મગફળીનું વાવેતર ઘટશે તો તેની સીધી અસર નવી સિઝનમાં સિંગતેલના ભાવ પર પણ પડી શકે છે. આ સ્થિતિને નિવારવા સરકારે જ્યાં પણ વાવેતર નિષ્ફળ ગયું છે, ત્યાં મગફળીનું બિયારણ પહોંચાડવું જોઇએ તેવું અમારું સૂચન છે.

LEAVE A REPLY

18 + 6 =