. (PTI Photo)

અમદાવાદમાં આવેલી 10 માળની રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં રવિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી, જેના પગલે સાવચેતીના પગલા તરીકે આશરે 125 દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ મળ્યાં ન થી.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રિનોવેશન કામગીરી ચાલી રહી હોવાથી બેઝમેન્ટમાં મૂકવામાં આવેલી કેટલીક વસ્તુઓમા આગ ફાટી નીકળી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ થમિક માહિતી મુજબ શહેરના શાહિબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં સવારે લગભગ 4.30 વાગ્યે આગ લાગી હતી. અગ્નિશામક ટીમો આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચી હતી. લગભગ 125 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

twelve − three =