(istockphoto.com)

દેશમાં આશરે 2.46 લાખ લોકોએ 2014 થી 2022 સુધીમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હીમાં સૌથી વધુ 60,414 લોકોએ પાસપોર્ટ પરત કર્યા હતા.

પંજાબમાં આ સમયગાળા દરમિયાન 28,117 લોકોએ પાસપોર્ટ પરત કર્યો હતો, જ્યારે ગુજરાતમાં 22,300 લોકોએ પાસપોર્ટ પરત કર્યો હતો. ગોવા અને કેરળમાં આ સંખ્યા અનુક્રમે 18,610 અને 16,247 રહી હતી, એવી રાજ્યસભામાં સરકારે માહિતી આપી હતી. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક પ્રશ્નના જવાબમાં પાસપોર્ટ સરેન્ડર કરનારા ભારતીયોની રાજ્યવાર સંખ્યાની માહિતી આપી હતી. 2019-2022ના સમયગાળા દરમિયાન 35 દેશોમાં 24,000થી વધુ ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા.

LEAVE A REPLY

eleven − ten =