(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી11 દિવસમાં આશરે 25 લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં દાનની રકમ પણ  રૂ.11 કરોડને વટાવી ગઈ છે.

મંદિર ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર છેલ્લા 11 દિવસમાં આશરે રૂ.8 કરોડ દાન પેટીઓમાં જમા થયા છે. આ ઉપરાંત ચેક અને ઓનલાઈન માધ્યમથી આશરે રૂ.3.50 કરોડની રકમ મળી છે. ભગવાન રામ બિરાજમાન છે તે ગર્ભગૃહ સામેના ‘દર્શન માર્ગ’ પાસે ચાર મોટા કદની દાન પેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો રકમ દાન કરે છે. આ ઉપરાંત લોકો 10 કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર પણ દાન આપે છે.

તેમણે કહ્યું હતુ કે ડોનેશન કાઉન્ટર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ નિયુક્ત કરાયા છે અને તેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ ટ્રસ્ટની ઓફિસમાં દાનની રકમ જમા કરાવે છે. 14 લોકોની ટીમ ચાર દાન પેટીઓમાં દાનની રકમની ગણતરી કરે છે. આ લોકોમાં બેન્કના 11 કર્મચારી અને ટેમ્પલ ટ્રસ્સના ત્રણ કર્મચારીઓ છે. દાનની રકમ જમા કરવી લઇને તેની ગણતરી કરવાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થાય છે.

LEAVE A REPLY

2 + seventeen =