દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 88 હજાર લોકોના મોત થઈ ગયા છે. 14 લાખ 59 હજાર સંક્રમિત છે જ્યારે ત્રણ લાખ 16 હજારથી વધારે લોકો સ્વસ્થ થઈ ગયા છે. જીનીવાના ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને બુધવારે જણાવ્યું છે કે, કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે એક અબજથી વધારે લોકોની નોકરીઓ જોખમમાં છે.

બ્રિટનમાં કોરોના વાયરસને કારણે સાત હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં બુધવારે મૃત્યુઆંક સાત હજાર 97 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાયરસના 60,733 કેસ નોંધાયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સતત ત્રણ દિવસથી આઈસીયુમાં છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જણાવ્યું હતું કે, અમે એવા દેશો પર નજર રાખી રહ્યા છે. જેમણે કોરોનાની વિરુદ્ધ નિર્ણયાક પગલા લીધા અને તેમને સફળતા મળી છે. મહામારીના શરૂઆતના ચારથી પાંચ અઠવાડિયા અત્યંત મુશ્કેલ હતા. હવે અમે યોગ્ય માર્ગે છીએ. પરંતુ આગામી બે અઠવાડિયા મહત્વના હશે.