પ. પૂ. મોરારીબાપુએ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવીને રૂ. 51 લાખની સહાય જાહેર કરી હતી. ૧૨/૬/૨૫નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો હતો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દિવસ કયારેય નહીં ભૂલાય. અમદાવાદથી લંડન જવા ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા. ૧૩/૬/૨૫ નાં રોજ તલગાજરડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું અને તે ભંડારો પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સમર્પિત કર્યો હતો. એ ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણ।તિંકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રુપિયા ૫૧,૦૦,૦૦૦ (એકાવન લાખની) સહાય પ્રેષિત કરી છે. આ અંગે એર ઈન્ડિયાના સતાવાળાઓ પાસેથી વિગતો મેળવીને સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચતી કરાશે. આ નાણાકીય સેવા લંડન સ્થિત રામકથાના શ્રોતા રમેશભાઈ સચદેવની છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

LEAVE A REPLY