(PTI Photo)

અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 23 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 259 મૃતકોની ઓળખ થઈ હતી અને 255 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં હતાં. ઓળખ થઈ છે, તેમાં 199 ભારતીય અને 60 યુકે, પોર્ટુગલ અને કેનેડાના નાગરિકો છે.

અમમદાબાદ સિવિલ હોસ્પિટલે જણાવ્યું હતું કે ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહને ફ્લાઇટ દ્વારા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. 259 મૃતકોમાં 199 ભારતીયો (૧૮૦ મુસાફરો અને ૧૯ ગ્રાઉન્ડ મૃતકો), સાત પોર્ટુગીઝ નાગરિકો, 52 બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયનનો સમાવેશ થાય છે.

હોસ્પિટલે જણાવ્યું હતું કે ૧૯ બિન-મુસાફર વ્યક્તિઓના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. આમાંથી ૧૩ મૃતકોની ઓળખ ડીએનએ રિપોર્ટ દ્વારા અને છની ઓળખ ચહેરાની ઓળખ દ્વારા કરવામાં આવી હતી.

અત્યાર સુધી ઓળખાયેલા ભારતીય મૃતકો ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દીવ અને નાગાલેન્ડ સહિત દેશના વિવિધ ભાગોના હતા.

ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હતા અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, તેથી અધિકારીઓ પીડિતોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ મેચિંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY