
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર, 24 જૂને જાહેરાત કરી હતી કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર હવે અમલમાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયમાં ઇરાનને ઇઝરાયેલ પર મિસાઇલ છોડ્યા પછી ટ્રમ્પે મધ્યપૂર્વના આ બે કટ્ટર દુશ્મન દેશોને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ન કરવાની પણ અપીલ કરી હતી. તેહરાને કતારમાં અમેરિકન લશ્કરી મથક પર હુમલા કર્યાના થોડા કલાકો પછી જ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે 12 જૂને હવાઇ યુદ્ધ ચાલુ થયું હતું.
યુએસ નેતાએ અગાઉ ૧૨ દિવસના યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ યુદ્ધવિરામની હાકલ કરી હતી અને કહ્યું હતું કે આ યુદ્ધવિરામ ૨૪ કલાકની તબક્કાવાર પ્રક્રિયા હશે, જે મંગળવારે લગભગ ૦૪૦૦ GMT વાગ્યે શરૂ થશે, જેમાં ઈરાન પહેલા એકપક્ષીય રીતે તમામ ઓપરેશન બંધ કરશે. ઇઝરાયલ ૧૨ કલાક પછી યુદ્ધવિરામનું પાલન કરશે.
ઈરાનના સરકારી મીડિયાએ પણ કહ્યું હતું કે ઇઝરાયલ દ્વારા કબજા હેઠળના પ્રદેશો પર પાંચ ત મિસાઇલ હુમલાઓ થયા બાદ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. આ હુમલાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયાં હતાં.
મિસાઇલોનો હુમલો બંધ થતાં ઇઝરાયલની સેનાએ કહ્યું કે જનતા આશ્રયસ્થાનોની નજીકના વિસ્તારો છોડી શકે છે.પરિસ્થિતિના મૂલ્યાંકન પછી,હોમ ફ્રન્ટ કમાન્ડે જાહેરાત કરી હતી કે દેશભરમાં સુરક્ષિત જગ્યાઓની નજીક રહેવાની જરૂરિયાત હટાવી લેવામાં આવી છે.
ઈરાનની અર્ધ-સત્તાવાર SNN ન્યૂઝ એજન્સીએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં તેહરાને છેલ્લા રાઉન઼્ડનો મિસાઇલ હુમલો કર્યો હતો.
