(@DefenceMinIndia X/ANI Photo)

ચીનના કિંગદાઓ શહેરમાં યોજાયેલા યોજાયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સંમેલનમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા ન હતા. પહેલગામ આતંકવાદી હુમલા અને સીમા પારના ત્રાસવાદનો મુદ્દોનો ઉલ્લેખ ન કરતાં ભારતે તેનો વિરોધ કર્યો હતો. તેનાથી આ સંમેલનને અંતે સંયુક્ત નિવેદન જારી કરાયું ન હતું. રાજનાથ સિંહે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને મળવાનું પણ ટાળ્યું હતું.

SCO સર્વસંમતિના માળખા હેઠળ કાર્ય કરે છે અને પાકિસ્તાનના અભિગમને કારણે આ સંમેલન સંયુક્ત નિવેદન વગર જ પુરું થયું હતું. સંમેલનમાં પોતાના સંબોધનનમાં રાજનાથે પાકિસ્તાન પર પ્રહાર કરતાં રાજનાથે સરહદ પારના આતંકવાદ સહિત આતંકવાદના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને સ્પોન્સરને જવાબદાર ઠેરવવાની માગણી કરી હતી.

ભારતના ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવાચાં અચકાઈશું નહીં. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો ઉપયોગ એક નીતિ તરીકે કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. SCOએ આવા દેશોની ટીકા કરવી જોઇએ.

સંમેલનમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને ચીનના સંરક્ષણ પ્રધાન ડોંગ પણ હાજર હતાં.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે SCO સભ્ય દેશો અમુક મુદ્દાઓ પર સર્વસંમતિ સાધી શક્યા ન હતાં અને તેથી સંયુક્ત નિવેદનને અંતિમ સ્વરૂપ આપી શકાયું નથી. ભારત આતંકવાદના મુદ્દોનો સમાવેશ કરવા માગતું નથી અને એક ચોક્કસ દેશે તેનો વિરોધ કર્યો હતો, તેથી સંયુક્ત નિવેદન જારી કરાયું ન હતું.

LEAVE A REPLY