મંદિર
(PTI Photo)

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણો દેવી મંદિર પાસે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનો મૃત્યુઆંક બુધવારે વધીને 31 થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂસ્ખલનને “અત્યંત દુ:ખદ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાતચીત કરી છે, અને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.ઘટના બાદ તરત જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સતત વરસાદને પગલે, CRPFની 6ઠ્ઠી બટાલિયનના જવાનોએ ઝડપથી મદદ કરી કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને કટરા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં ખસેડ્યા હતાં. ટીમે ફસાયેલા યાત્રાળુઓને મદદ કરી હતી અને જરૂરી તબીબી અને લોજિસ્ટિકલ સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો.

ડોડા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે ચાર લોકોના મોત થયા હતાં. વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલન થયું હતું અને તેનાથી યાત્રા સ્થગિત કરાઈ હતી.

મંદિર બોર્ડે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અધકવારી ખાતે ઈન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં કેટલાક ઘાયલ થવાની આશંકા છે. જરૂરી માનવબળ અને મશીનરી સાથે બચાવ કામગીરી ચાલી રહી છે.
ભૂસ્ખલનને કારણે અનેક મિલકતોને પણ નુકસાન થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘર તૂટી પડતાં બે લોકોના મોત થયા હતાં, અને બે અન્ય લોકોના મોત અચાનક પૂરમાં થયા હતાં. વાદળ ફાટવાની પણ ઘટના બની હતાં. જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સતર્ક રહેવાની સલાહ આપી હતી.

ભારે વરસાદ, ભૂસ્ખલનથી રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો હોવાથી ડોડા અને કિશ્તવાડને જોડતા નેશનલ હાઇવે -244 પર બંધ કરાયો હતો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ પ્રાંતના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. મુખ્ય નદીઓ તાવી અને રાવી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કઠુઆમાં, રાવિ નદી ઘણી જગ્યાએ છલકાઈ ગઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

 

LEAVE A REPLY