અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેમણે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા માટે એક સંભવિત માર્ગ શોધ્યો છે, પરંતુ પ્રસ્તાવ ત્યારે જ આગળ વધશે જ્યારે યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લાદિમિર ઝેલેન્સ્કી તેને સ્વીકારશે. ઓવલ ઓફિસમાં મીડિયાને તેમણે જણાવ્યું હતું કે, અમને લાગે છે કે અમારી પાસે શાંતિ સ્થાપિત કરવાનો એક રસ્તો છે, ઝેલેન્સ્કીએ તેને સ્વીકારવો પડશે. મને લાગે છે કે તેઓ ઘણી નજીક પહોંચી રહ્યા છે, પરંતુ હું કોઈ આગાહી કરવા ઇચ્છતો નથી. આ પ્રસ્તાવ હજુ શરૂઆતના તબક્કામાં છે અને ચર્ચાઓ ચાલુ હોવાથી તેમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે.
શુક્રવારે ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે દેશ પોતાના ઇતિહાસની સૌથી પડકારજનક ક્ષણો પૈકી એકનો સામનો કરી રહ્યો છે, કારણ કે તે અમેરિકન પ્રસ્તાવના પરિણામો પર વિચાર કરી રહ્યો છે. ઝેલેન્સ્કીએ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પુનરોચ્ચાર કર્યો કે તેઓ ક્યારેય યુક્રેનના લોકોથી દગો નહીં કરે. હવે યુક્રેનને એક અત્યંત કઠિન વિકલ્પનો સામનો કરવો પડી શકે છે અથવા તો તેની માન-મર્યાદા ગુમાવવી પડશે અથવા તો એક મુખ્ય ભાગીદાર ગુમાવવાનું જોખમ લેવું પડશે.
આ શાંતિ પ્રસ્તાવમાં ઝેલેન્સ્કીએ પૂર્વી ડોનબાસ વિસ્તારમાંથી પોતાના ક્ષેત્રમાંથી નીકળવું અને અમેરિકાની સમર્થિત સુરક્ષા ગેરંટીના બદલામાં પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદિત કરવા માટે સહમત થવાનું સામેલ હોઈ શકે છે, તેવું આ ચર્ચાથી માહિતગાર એક પશ્ચિમી અધિકારીએ આપી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા થઇ રહી છે અને કોઇ પણ અંતિમ સમજૂતી માટે રશિયા અને યુક્રેન બંને તરફથી સમાધાનની જરૂર પડશે.

LEAVE A REPLY