REUTERS/Danish Siddiqui/File Photo

લંડન હીથ્રોથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં ફ્યુઅલ સ્વિચ ખરાબ થવાની ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોની ફરી તપાસ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધી કોઇ સમસ્યા જણાઈ ન હતી. હાલમાં એર ઇન્ડિયા પાસે 33 બોઇંગ 787 અથવા ડ્રીમલાઇનર્સ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાના ફ્લાઇટ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મનીષ ઉપ્પલે બોઇંગ 787 પાઇલટ્સને જણાવ્યું હતું કે કંપનીએ તેના વિમાન કાફલામાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની પુનઃતપાસ ચાલુ કરી છે.

એરલાઇન્સની એન્જિનિયરિંગ ટીમએ આ મુદ્દો બોઇંગ સમક્ષ ઉઠાવ્યો છે. અમે બોઇંગના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ અમારા એન્જિનિયરોએ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ (FCS) લેચનું સાવચેતીભર્યું ફરીથી નિરીક્ષણ શરૂ કર્યું છે.

ગયા વર્ષે અમદાવાદમાં બોઇંગ 787-8 વિમાનની ભયંકર દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ ઇંધણ નિયંત્રણ સ્વીચોનું નિરીક્ષણ કર્યું હતું. સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ એર ઇન્ડિયાના એક પાયલોટે લંડન હીથ્રોથી બેંગલુરુ જતી ફ્લાઇટના બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામીની જાણ કરી હતી અને એરલાઇને તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું હતું. રવિવારે લંડનના હીથ્રોથી ઉડાન ભરેલી ફ્લાઇટ સોમવારે સવારે બેંગલુરુ પહોંચી હતી.

LEAVE A REPLY