પ્રતીકાત્મક તસવીર

કેનેડા સરકારના રીપોર્ટ મુજબ, વિદેશીઓને દેશમાં હંગામી સમય સુધી રહેવા માટે આપવામાં આવેલા વિઝાની સઘન તપાસ પછી 2025ના અંત સુધીમાં થયેલા શરણાર્થી માટેના દાવાઓની સંખ્યા અડધી થઇ ગઇ છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ની માહિતી મુજબ, ગત વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે, 2024ના સમાન સમયગાળાની સરખામણીએ મળેલી શરણાર્થીઓ માટેની અરજીની સંખ્યામાં 33 ટકા ઘટાડો થયો હતો. IRCCના જણાવ્યા અનુસાર સમય જતાં આ ઘટાડાનું પ્રમાણ વધી શકે છે, કારણ કે, ‘ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRV) અરજીઓની વધુ થઇ રહેલી તપાસને કારણે નવેમ્બર 2025માં TRVધારકો દ્વારા શરણાર્થીઓના દાવાઓમાં ગત વર્ષના આ મહિનાની સરખામણીએમાં 55 ટકા ઘટાડો થયો હતો.’ TRVમાં પ્રવાસન, વિદેશી વિદ્યાર્થીઓ અને હંગામી વર્કર્સને આપવામાં આવેલા વિઝાનો સમાવેશ થાય છે.
IRCCની નોંધ મુજબ, 2025માં આવા 11 મહિનાના સમયગાળા દરમિયાન, કેનેડામાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 52 ટકા જેટલા (334,845) ઓછા નવા વિદ્યાર્થીઓ અને હંગામી વર્કર્સ આવ્યા હતા. કેનેડાના ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડ (IRB)ના ડેટા મુજબ, શરણાર્થી તરીકે દાવા કરવામાં ભારતીયો સૌથી મોટો સમૂહ છે, જેમાં તેમની 43,830 અરજીઓ પડતર છે અને ગત સપ્ટેમ્બરના અંત સુધીમાં 7,197 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેની સરખામણીએ બોર્ડ સમક્ષ મેક્સીકન નાગરિકોની 24,526 અરજીઓ પડતર છે, અને તેમાંથી 5,828 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY