રણવીર સિંહ
(Photo by Gareth Cattermole/Getty Images for DIFF)

બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગની ઘટના પછી હવે ફિલ્મ ‘ધુરંધર’ના સ્ટાર રણવીર સિંહને ધમકીભર્યો ખંડણીનો મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. મુંબઈ પોલીસને જાણ થતાં તેને તપાસ શરૂ કરી કરી હતી અને રણવીર સિંહના ઘરની બહાર સુરક્ષામાં વધારો કર્યો હતો.

રણવીર સિંહને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ ધમકીભર્યો વોઇસ નોટ મોકલનારની શોધખોળ શરૂ કરી હતી. બિશ્નોઈ ગેંગે આ ધમકી આપી હોવાનું માનવામાં આવે છે.

અગાઉ 2024માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની ફાયરિંગની ઘટના બની હતી. તે સમયે બે બાઇક સવાર લોકોએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યા હતાં અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે ફેસબુક પોસ્ટમાં ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી અને મહારાષ્ટ્રના પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા માટે પણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY