(@NarendraModi/YT via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઓફિસને શુક્રવાર, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલા બ્રિટન યુગના સાઉથ બ્લોક બિલ્ડિંગમાંથી નવા કાર્યાલય સેવા તીર્થમાં શિફ્ટ કરી હતી. હવે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) પણ સેવાતીર્થ નામથી ઓળખાશે. વડાપ્રધાન સાઉથ બ્લોકને બ્રિટિશરાજનું પ્રતિક ગણાવી હતી અને ગુલામીની માનસિકતાથી બહાર આવવાની જરૂરિયાત દર્શાવી હતી.

વડાપ્રધાન કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ અને જીતેન્દ્ર સિંહ અને પીએમઓના ટોચના અધિકારીઓ સાથે મોટરકાફલામાં સેવા તીર્થ સંકુલ પહોંચ્યા હતાં અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય ધરાવતા સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.

મોદીએ પીએમઓમાં ભગવાન ગણેશની પ્રતિમાને માળા અર્પણ કરી અને મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં.

/* */

અગાઉ મોદીએ નવા સંકુલમાં સેવા તીર્થની તકતીનું અનાવરણ કર્યું હતું. તેની નીચે ‘નાગરિક દેવો ભવ’ સૂત્ર લખેલું છે.
2014થી મોદી સરકારે ગુલામીના પ્રતિકોને દૂર કરવાના સતત પ્રયાસો કર્યા છે. પીએમઓનું નામ હવે સેવા તીર્થ રાખવામાં આવશે, કેન્દ્રીય સચિવાલયની ઇમારતોનું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવ્યું છે, અને રાજપથનું નામ કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે. આ જ ભાવનામાં રેસકોર્સ રોડ, જ્યાં વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે, તેનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ તથા રાજભવન અને રાજ નિવાસનું નામ અનુક્રમે લોક ભવન અને લોક નિવાસ રાખવામાં આવ્યું છે.

 

 

LEAVE A REPLY