બકિંગહામ પેલેસે આ મહિનાની શરૂઆતમાં એક અભૂતપૂર્વ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરના વર્તન બાબતે પોલીસ તપાસને ટેકો આપવા માટે તૈયાર છે.
પેલેસે તે સમયે જણાવ્યું હતું કે “રાજાએ શબ્દોમાં અને અભૂતપૂર્વ પગલાં દ્વારા, શ્રી માઉન્ટબેટન-વિન્ડસરના વર્તનના સંદર્ભમાં સતત પ્રકાશમાં આવતા આરોપો પર તેમની ઊંડી ચિંતા સ્પષ્ટ કરી છે. જો થઇ રહેલા ચોક્કસ દાવાઓ શ્રી માઉન્ટબેટન-વિન્ડસરને લગતા હશે અને જો થેમ્સ વેલી પોલીસ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવશે તો અમે અપેક્ષા મુજબ પોલીસને સમર્થન આપવા તૈયાર છીએ. અગાઉ પણ કહેવામાં આવ્યું હતું તેમ, કિંગ ચાર્લ્સ અને મહારાણી કેમિલાના વિચારો અને સહાનુભૂતિ કોઈપણ અને તમામ પ્રકારના દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકો સાથે રહ્યા છે, અને રહેશે.”
મહારાજા ચાર્લ્સની શાહી મુલાકાતો દરમિયાન જાહેર જનતાએ 77 વર્ષીય મહારાજાને હેરાન કરવામાં આવ્યા બાદ આ નિવેદન પેલેસ દ્વારા જાહેર કરાયું હતું.
શાહી વર્તુળો આ મુદ્દા પર વધતા દબાણ હેઠળ આવતા પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની ઓફિસે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે “પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનની સતત ખુલાસાઓથી ખૂબ ચિંતિત છે. તેમના વિચારો પીડિતો પર કેન્દ્રિત છે.”











