
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બીબીસીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. “જે કોઈની પાસે કોઈ માહિતી છે તેમણે જુબાની આપવી જોઈએ. તેથી, પછી ભલે તે એન્ડ્રુ હોય કે અન્ય કોઈ, જેની પાસે સંબંધિત માહિતી છે તેણે સંબંધિત સંસ્થા સામે આવવું જોઈએ, આ ચોક્કસ કેસમાં, અમે એપ્સ્ટેઇન વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ બીજા ઘણા બધા કેસ છે.”
સ્ટાર્મરે કહ્યું હતું કે “મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના કોઈપણ પાસા સંબંધિત માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિ, મારા મતે, આગળ આવવાની ફરજ છે, પછી ભલે તે ગમે તે હોય. આપણી સિસ્ટમના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક એ છે કે કાયદા હેઠળ દરેક વ્યક્તિ સમાન છે, અને કોઈ પણ કાયદાથી ઉપર નથી. તે ખરેખર મહત્વપૂર્ણ છે અને તે દરેક જગ્યાએ લાગુ થાય છે. આ સિદ્ધાંત છે. તે લાંબા સમયથી ચાલતો સિદ્ધાંત છે. તે આપણા દેશનો, આપણા સમાજનો ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, અને તે સૌને લાગુ પડે છે, અને તે આ કેસમાં પણ લાગુ થવો જોઈએ.”












